મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

RBIની દિવાળી ગીફટઃ વ્યાજદરમાં ઘટાડોઃ EMI ઘટશે

અર્થતંત્રને ગતિ આપવાના પ્રયાસોના ક્રમમાં રીઝર્વ બેન્કે સતત પાંચમી વખત વ્યાજદર ઘટાડયોઃ રેપોરેટમાં ૨૫ બેઝીઝ પોઈન્ટનો ઘટાડોઃ નવો દર ૫.૧૫ ટકા : રીવર્સ રેપોરેટ હવે ૪.૯૦ ટકા અને બેન્ક રેટ ૫.૪૦ ટકાઃ ઓટો, હોમ સહિતની લોન હવે સસ્તી થશેઃ રીઝર્વ બેન્કે જીડીપીનું અનુમાન ઘટાડી ૬.૧ ટકા જાહેર કર્યુ

મુંબઈ,તા. ૪: ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપો રેટ હવે ઘટીને ૫.૧૫ ટકા થઇ ગયો છે. રેટ ઘટી જતા લોન પણ હવે સસ્તી થઇ રહી છે. જેથી સામાન્ય લોકોને રાહત મળનાર છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે. છ સભ્યોની કમિટી દ્વારા નાણાંકીય વર્ષ માટે જીડીપી ટાર્ગેટ સુધારીને અગાઉના ૬.૯ ટકાની સરખામણીમાં ૬.૧ ટકા કર્યો છે. તમામ અર્થશાસ્ત્રીઓ પહેલાથી જ કાપની અપેક્ષા રાખી રહ્યા હતા.   આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે.  સતત પાંચમી વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા પાંચમી  વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે.આજના ઘટાડા પહેલા સુધી  રેપોરેટમાં ૧૧૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં રિઝર્વ બેંકે ઉલ્લેખનીયરીતે ઘટાડો કરીને તમામને ચોંકાવી દીધા હતા.ઓગષ્ટ મહિનામાં એમપીસી દ્વારા પોલીસી રેટમાં ૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ઓગષ્ટ મહિનામાં નાણાંકીય વર્ષની તેની ચોથી  દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો.  આની સાથે જ રેપોરેટ  ૫.૭૫ ટકાથી ઘટીને ૫.૪૦ ટકા થઇ ગયો હતો.  આવી જ રીતે રિવર્સ રેપો રેટ ૫.૭૫ ટકાથી ઘટીને હવે ૫.૧૫ ટકા થઇ ગયો હતો. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સતત ચોથી વખત આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ હવે પાંચમી વખત રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટી પર હતો. આરબીઆઇ આ વર્ષે પહેલાથી જ રેપો રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વધુ એક વખત રેટમાં કાપ મુક્યો હતો.અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. મોનિટરી પોલીસી કમિટીની બેઠક ચોથી ઓક્ટોબરના દિવસે તેની બેઠકના પરિણામ જાહેર કરનાર છે આર્થિક વિકાસનો દર છ વર્ષની નીચી સપાટી પર પહોંચી ગયા બાદ હાલત કફોડી બનેલી છે. આર્થિક મંદીની સ્થિતીમાં સરકાર દ્વારા માર્કેટમાં તેજી લાવવા માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થિર ફુગાવાના રેટ વચ્ચે આર્થિક વિકાસ દર નીચી સપાટી પર પહોંચ્યો છે.

દિવાળી પહેલા આરબીઆઇની લોકોને મોટી ભેટ

સમીક્ષા હાઇલાઇટસ....

મુંબઈ, તા. ૪: ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપો રેટ હવે ઘટીને ૫.૧૫ ટકા થઇ ગયો છે. રેટ ઘટી જતા લોન પણ હવે સસ્તી થઇ રહી છે. જેથી સામાન્ય લોકોને રાહત મળનાર છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે.  આરબીઆઈ પોલિસી સમીક્ષા હાઈલાઈટ્સ નીચે મુજબ છે.

*   ધારણા પ્રમાણે જ નાણાંકીય વર્ષની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો   ઘટાડો થતા રેપો રેટ ૫.૧૫ ટકા થયો

*   રિવર્સ રેપોરેટ ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે

*   સીઆરઆર અથવા તો કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાના દરે યથાવત રખાયો

*   સતત પાચમી વખત વ્યાજદરમાં ઘટાડો કરાતા લોન સસ્તી થવાના સંકેત

*   ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં બેઠક થઇ ત્યારે રિઝર્વ બેંકે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ કર્યો હતો. ત્યારબાદથી સતત પાંચમી વખત ઘટાડો કરાયો

*   એમપીસી દ્વારા રેપોરેટમાં  ઘટાડો બહુમતિ નિર્ણયથી કરવામાં આવ્યો

*   મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને માર્કેટના નિષ્ણાતો મુજબ જ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો

*   આર્થિક ગતિવિધિને વેગ આપવાના ઇરાદા સાથે રેટમાં ઘટાડો કરાયો

*   ૭ તબક્કાની લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ એનડીએ સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ  ત્રીજી બેઠક યોજવામાં આવી

*   બેંકો રેટમાં કાપ મુકવા ઇચ્છુક નથી. કારણ કે, ડિપોઝિટ અને હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ બચત ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી છે

*   ઇએમઆઈ તરીકે ગણતરી કરતા હોમ લોન સસ્તી થશે

*   આરબીઆઈએ સામાન્ય લોકોને  દિવાળી પહેલા મોટી ભેંટ આપી

રેપોરેટ ઘટી જતા હવે બધી હોમ લોનો સસ્તી બની શકે

રેપોરેટ ઘટતા બેંકોના સસ્તા ફંડીંગ મળશે  : પર્સનલ, હોમ અને કાર લોન લેનારને ફાયદો : ફલોટીંગ વ્યાજદર પર લોન લઇ ચુકેલા લોકોને સીધો મોટો ફાયદો

મુંબઈ, તા. ૪: રેપોરેટમાં આજે ઘટાડો કરવામાં આવ્યા બાદ લોન સસ્તી થવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. રિઝર્વ બેંક બેંકોને જે ફંડ આપે છે તેમાં ઘટાડો થયો છે. રેપોરેટ ઘટવાથી બેંકોને આરબીઆઈથી સસ્તા પ્રમાણમાં ફંડ ઉપલબ્ધ થશે જેથી બેંકો પણ ઓછા વ્યાજદર પર કાર, હોમ લોન સહિત અન્ય લોનની ઓફર કરી શકશે. નવા લોન સસ્તા થશે. જે લોકો પહેલાથી જ લોન લઇ ચુક્યા છે તે લોકોને ઇએમઆઈમાં અથવા તો રિપેમેન્ટ પિરિયડમાં ઘટાડાનો લાભ મળશે. હવે આગામી નાણાંકીય નીતિ સમક્ષાની બેઠક ડિસેમ્બરમાં યોજવામાં આવનાર છે.  આરબીઆઈની પોલિસી સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ જુદા જુદા પ્રકારની લોન સસ્તી થશે તેવા સંકેત મળી રહ્યા છે. રેપોરેટ ઘટી જતાં બેંકો આનો લાભ ગ્રાહકોને આપી શકે છે. તમામ પ્રકારની લોન આના લીધે સસ્તી થશે. આના કારણે ઇએમઆઈમાં ઘટાડો થશે. ફ્લોટિંગ વ્યાજના દર ઉપર જો કોઇપણ પ્રકારની લોન લેવામાં આવી છે તો ઇએમઆઈ આજની બેઠક બાદ ઘટશે. હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન લેવા ઇચ્છુક લોકોને પણ રાહત મળશે. મોનિટરી પોલિસીમાં આરબીઆઈએ ના રેપોરેટ લાગૂ કરી દીધા છે. તટસ્થ પોલિસી અપનાવવાના બદલે ઉદાર પોલિસી અપનાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ચોથી નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫  બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ  ખુબ ઉપયેગી  ગણતા રેપોરેટ   ઘટીને હવે ૫.૧૫ટકા થઇ ગયો છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટ ઘટીને હવે ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા કરી દેવામાં આવ્યો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે. છેલ્લી ત્રણ બેઠકમાં પણ એમપીસી દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતો. વ્યાજદર ઘટાડી દેવાનો અર્થ એ છે કે હવે જ્યારે બેંક પણ આરબીઆઇ પાસેથી ફંડ મેળવશે ત્યારે તેમને નવા દર પર ફંડ મળશે. સસ્તા દર પર બેંકોને મળનાર ફંડનો ફાયદો બેંક પોતાના ગ્રાહકોને આપી શકે છે. આ રાહત આપની સસ્તી લોન ઓછી થયેલી ઇએમઆઇ પર વિભાજિત થઇ જાય છે. જેથી જ્યારે પણ રેપો રેટ ઘટી જાય છે ત્યારે આપના માટે લોન સસ્તી બની જાય ચે. સાથે સાથે લોન ફ્લોટિંગ છે તો તેમાં ઇએમઆઇ પણ ઘટી જાય છે.

(3:11 pm IST)