મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

મધ્યપ્રદેશમાં પૂલ ઉપરથી બસ નદીમાં પડી, ૬ લોકોના મોત અને ૧૯ ઘાયલ થયા : અનેક લાપતા

        મધ્યપ્રદેશના રાયસેનમાં બુધવારે રાત્રીના ઇન્દોરથી છતાપુર થઇ રહેલ બસ પુલ ઉપરથી નદીમાં પડી ગઇ જેને લઇ ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે. જયારે ૧૯ લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો લાપતા છે.

        કલેકટર ઉમાશંકર ભાર્ગવએ જણાવેલ કે પુલની પાસે મોટો ખાડો હતા જેમાં વ્હીલ આવી જતા બસ અનિયંત્રિત થઇ ગઇ હતી. બસમાં લગભગ ૪પ લોકો સવાર હતા.

(8:47 am IST)