CBIના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ
ગૃહ મંત્રાલયે સીબીઆઈના નોડલ મંત્રાલય અને તાલીમ વિભાગ (ડીઓપીટી)ને પત્ર લખ્યો
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા પર સત્તાનો દુરુપયોગ અને સંબંધિત સેવાના નિયમોના ઉલ્લંઘન બદલ શિસ્તભંગની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આલોક વર્મા સામે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે સીબીઆઈના નોડલ મંત્રાલય અને તાલીમ વિભાગ (ડીઓપીટી)ને પત્ર લખ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે જો આલોક વર્મા સામે કાર્યવાહીની મંજૂરી આપવામાં આવશે તો તેમના પેન્શન અને નિવૃત્તિના લાભો પર અસ્થાયી અથવા કાયમી બંધ કરવામાં આવી શકે છે. આલોક વર્મા 1979ના બેચના ભારતીય પોલીસ સેવાના નિવૃત્ત અધિકારી છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમના સાથી ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાના સાથે સીબીઆઈમાં ફરજ બજાવતી વખતે ઝઘડો થયો હતો.