News of Wednesday, 4th August 2021
કર્ણાટકમાં બોમ્માઈના પ્રધાનમંડળમાં ૨૯ પ્રધાનો : એક પણ નાયબ મુ.મંત્રી નથી
જાણીતા પત્રકાર અશ્વિની શ્રીપદ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવે છે કે કર્ણાટકના નવા ભાજપી પ્રધાનમંડળમાં મુખ્યમંત્રી શ્રી બોમ્માઈની કેબીનેટમાં હાલ તુર્ત એક પણ નાયબ મુખ્યમંત્રી નહિં હોય. આ અગાઉ પાંચ ડેપ્યુટી સી.એમ. હશે તેવી વાત જાહેર થયેલ. મુખ્યમંત્રી બાસવરાજ બોમ્માઈએ ૨૯ ભાજપ ધારાસભ્યો સાથે નવું પ્રધાનમંડળ બપોરે શપથ લેશે તેમ જાહેર કર્યુ છે. બોમ્માઈના નવા મંત્રીમંડળમાં આઠ લીંગાયત સમાજના, ૭ વોકકાલીગા સમાજના, સાત ઓબીસી, ૩ એસસી અને બીજાઓનો ૨૯ પ્રધાનોના મંત્રીમંડળમાં સમાવેશ થાય છે. શ્રી યેદીરપ્પાના રાજીનામાના પગલે શ્રી બોન્ઝાઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે.
(12:21 pm IST)