મુખ્ય સમાચાર
News of Monday, 3rd August 2020

ફેબ્રુઆરીમાં જ બાંદ્રા પોલીસને જાણ કરી હતી કે તેમના દીકરાને જીવનું જોખમ: સુશાંતના પિતાએ વ્યથા ઠાલવી

તેના મોતના 40 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઇ. તો મે પટનામાં ફરિયાદ કરી

 

નવી દિલ્હી : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના પિતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેમણે ફેબ્રુઆરીમાં જ બાંદ્રા પોલીસને જાણ કરી હતી કે તેમના દીકરાને જીવનું જોખમ છે. આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે ખુદ બનાવ્યો છે અને તેને સમાચાર એજન્સી એએનઆઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા જણાવી રહ્યા છે કે, 'મેં બાંદ્રા પોલીસને જાણ કરી હતી કે મારા દીકરાનો જીવ જોખમમાં છે, 25મી ફેબ્રુઆરીએ મેં બાંદ્રા પોલીસને સુશાંત વિશે ચેતવી હતી. આ વીડિયોમાં સુશાંતના પિતા કહી રહ્યા છે કે, 14મી જૂને સુશાંતનું મૃત્યુ થયું તો 25મી ફેબ્રુઆરીએ આપેલા નામો પર કાર્યવાહીની માગ કરો. તેના મોતના 40 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઇ. તો મે પટનામાં ફરિયાદ દાખલ કરી દીધી. પટના પોલીસ તરત જ એક્શનમાં આવી પરંતુ ગુનેગારો ભાગી રહ્યાં છે. આપણે તમામ લોકોએ પટના પોલીસની મદદ કરવી જોઈએ.

(12:01 am IST)