News of Thursday, 4th March 2021
કોરોના વેકસીન લીધા પછી રાજકોટના ડો. ચિરાગ માત્રાવડિયાના શરીરમાં પુષ્કળ એન્ટિબોડી પેદા થયા: રસી અચૂક મુકાવી લેવા સહુને અપીલ
રાજકોટના જાણીતા ડો. ચિરાગભાઈ માત્રાવડિયા(9825219013)એ જણાવ્યું છે કે કોરોના વેકસીન મુકાવવી ખૂબ જ અસરકારક પૂરવાર થઈ ચૂકી છે. ચિરાગભાઈએ થોડા સમય પહેલા જ કોરોના વેકસીન લીધી હતી. તેમણે સંજીવની મેટ્રોપોલીસ હેલ્થકેર માં એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તેમના શરીરમાં 260 એન્ટીબોડી આવ્યા છે એનો અર્થ એ થયો કે કોરોનાવાયરસ સામે તેમનામાં પ્રચંડ લડવાની તાકાત સર્જાઈ ચૂકી છે. પ્રત્યેક વ્યક્તિએ અચૂક રસી મુકાવી લેવી જોઈએ તેવું ચિરાગભાઈ માને છે.
(12:00 am IST)