News of Thursday, 4th February 2021
વધુ બે અઠવાડિયા માટે અર્ધ લશ્કરી દળોની ૪૭ કંપનીઓ દિલ્હીમાં સતત ખડેપગે રહેશે
ખેડૂત આંદોલન સંદર્ભે દિલ્હી અને એનસીઆરમાં ૩૧ સીઆરપીએફની અને ૧૬ રેપીડ એકશન ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને નજર સમક્ષ રાખી વધુ બે અઠવાડિયા માટે આ ૪૭ અર્ધલશ્કરી દળોની કંપનીઓને દિલ્હી-એનસીઆરમાં રાખવાનો હુકમ થયો છે.
(10:57 am IST)