મુખ્ય સમાચાર
News of Friday, 4th January 2019

હવે ૫ થી ૮ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે

શાળામાં આઠમાં સુધી નાપાસ ન કરવાના નિયમોમાં થયા ફેરફારો : રાજ્યસભામાં બીલ પાસઃ જોકે પાસ થવાનો એક મોકો આપવામાં આવશે : બે મહિનાની અંદર જ બીજીવાર પરીક્ષા લેવાશે

નવી દિલ્હી તા. ૪ : શાળાના શિક્ષણમાં સુધારણામાં લાગેલી મોદી સરકારના રસ્તાનો મોટો કાંટો હાલમાં હટી ગયો છે. શાળામાં આઠમા સુધી બાળકોને ફેઈલ ન કરવાં નીતિમાં ફેરફાર સંસદમાં પસાર થઇ ગયો છે. હવે પાંચમા થી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ફેલ કરી શકાશે. જોકે, તેને તે પહેલા પાસ થવાનો એક મોકો આપવામાં આવશે. તેના માટે મુખ્ય પરીક્ષાના બે મહિનાની અંદર જ બીજી વાર ફરી પરીક્ષા લેવામાં આવશે.

ગઈ કાલે રાજયસભામાં પણ નિઃશુલ્ક અને અનિવાર્ય બાળ શિક્ષાનો અધિકાર બિલ-૨૦૧૯ને મંજૂરી આપી દીધી છે.લોકસભામાં આ બિલ ગયા વર્ષે જ પાસ થઇ ગયું હતું.એવામાં હવે વિધેયક ૨૦૧૯ને રજૂ કરીને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર શાળાના શિક્ષણને મજબૂત બનાવવા માટે આ બદલાવને જરૂરી ગણવામાં આવ્યુ છે.

તેઓએ કહ્યું કે તેને શિક્ષણની ગુણવતામાં સુધાર થશે અને બાળકો ભણતરમાં વધુ રસ લેશે. તેઓએ આ દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય દળોને આશંકાઓને પણ દૂર કરી. તેઓએ કહ્યું કે આ બદલાવનો અર્થ એ નથી કે કોઈને શાળા માંથી કાઢવામાં આવી રહ્યા છે.આ બદલાવ અભિભાવકોની માંગ બાદ જ કરવામાં આવ્યો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયની માને તો હાલના સમયમાં આઠમી સુધી વિદ્યાર્થીઓને ફેલ ન કરવાની નીતિથી શૈક્ષણિક ગુણવત્તામાં પહેલાના મુકાબલે નીચલા સ્તર પર ગઈ છે. સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશનની બેઠકમાં રાખેલા પ્રસ્તાવ પર ૨૫ રાજયોએ સંમતિ દર્શાવી હતી.જયારે ચાર રાજય આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઓડિશા, અને તેલંગાણા આ બદલાવ વિરૂદ્ઘ છે. ચાર રાજયોના વિરોધને જોઈને સરકારને ફેલ ન કરવાની નીતિમાં બદલાવ અંગે રાજયોને પૂર્ણ સ્વયત્તતા પણ આપી છે. તેના હેઠળ જો કોઈ રાજય સહમત નથી તો તે તેના મુજબ પરીક્ષાની ગોઠવણ કરી શકે છે. શાળામાં આઠમી સુધી ફેલ ન કરવાની નીતિને યુપીએ સરકાર દરમિયાન બાળકોનું શાળા ન છોડવાની વધતી સંખ્યાને જોઈને લાગુ કરવામાં આવ્યો હતો.(૨૧.૧૫)

(11:38 am IST)