મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

મમતા બેનર્જી વિરુદ્ધ આસામમાં ફરિયાદ:કેન્દ્ર ઉપર બંગાળીઓને ખદેડવાનો લગાવ્યો હતો આરોપ

આસામમાં એનઆરસી મુદ્દે મમતાના ભડકાઉ ભાષણ મુદ્દે હાઇકોર્ટના એડવોકેટે નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી ;પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ આસામ પોલીસે એફઆરઆઇ દાખલ કરી છે ગૌહાતી હાઇકોર્ટના એડવોકેટ તેલેન્દ્ર નાથદાસની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધ્યો છે જેમાં મમતા બેનર્જી સામે આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી )મુદ્દે ભડકાઉ ભાષણ આપ્યું જેમાં તેણીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આસમમાંથી બંગાળીઓને ખદેડવાના ષડયંત્રમાં લાગી છે એટલું જ નહીં તેણીએ કેન્દ્રને કેન્દ્રને ચેતવણી પણ આપી હતી કે તેને આગ સાથે રમવું જોઈએ નહીં

 

(10:47 pm IST)