News of Thursday, 4th January 2018
ઉત્તરપ્રદેશના સિનેમાદ્યરોમાં રાષ્ટ્રગાન બાદ કુંભમેળાનો નવો લોગો બતાવવો અનિવાર્ય બનશે
લખનૌઃ ઉત્તરપ્રદેશના સિનેમાઘરોમાં આગામી દિવસોમાં ફિલ્મ શરુ થયા પહેલા રાષ્ટ્રગાન સંભળાવ્યા બાદ કુંભમેળાનો નવો લોગો બતાવવો અનિવાર્ય બનશે યુપીના પર્યટન સચિવ અવનિશ અવસ્થીએ જણાવ્યું હતું કે પ્રદેશના સિનેમાદ્યરોમાં રાષ્ટ્રગાન બાદ કુંભમેળાનો લોગો પ્રદર્શિત કરવો પડશે તેને ટૂંકસમયમાં અમલ કરાશે લોકોમાં ધાર્મિક આયોજનના ઉદેશ્યનું મહત્વ જાણી શકે તેવા હેતુથી આ નિર્ણય કરશે તેમ અંતમાં કહ્યું હતું
(11:31 am IST)