૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૯૨૧૬ નવા કેસ : ૩૯૧ લોકો મૃત્યુ પામ્યા
દેશમાં હવે એકિટવ કેસોની સંખ્યા ૯૯ હજાર ૯૭૬
નવી દિલ્હી તા. ૩ : દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૯ હજાર ૨૧૬ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ૩૯૧ લોકો મૃત્યુ પામ્યા હતા. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં બે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા ૯૯ હજાર ૯૭૬ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૭૦ હજાર ૧૧૫ થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૩ કરોડ ૪૦ લાખ ૪૫ હજાર ૬૬૬ લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના ૧૨૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૭૩ લાખ ૬૭ હજાર ૨૩૦ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૨૫ કરોડ ૭૫ લાખ ૫ હજાર ૫૧૪ ડોઝ આપવામાં આવ્યા છે દેશમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે ડેલ્ટા વેરિઅન્ટ જેણે બીજી લહેરમાં હજારો લોકોના જીવ લીધા, આ વાયરસ તેના કરતા અનેક ગણો વધુ ખતરનાક છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે ભારતમાં ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. બંને ચેપગ્રસ્ત પુરુષો છે, જેમની ઉંંમર ૬૬ વર્ષ અને ૪૬ વર્ષ છે.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે કહ્યું કે કેરળ સરકારે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લીધા છે. અમે એરપોર્ટ પર ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ કરી રહ્યા છીએ. ઉંચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ અને ૭ દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત છે. તે પછી તેમને ફરીથી ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ કરાવવો પડશે.
દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટર અશોક સેઠે જણાવ્યું કે ઓમિક્રોન વાયરસ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તેમાં ઘણા બધા મ્યુટેશન છે. જયારે વાયરસ તેના દેખાવમાં ફેરફાર કરે છે, ત્યારે તે વધુ જોખમી બની શકે છે. લોકોએ કોવિડના તમામ નિયમોનું પાલન કરવું પડશે. આપણો દેશ તેની સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.