મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

કિશાન નેતાઓ સાથે ચોથા તબક્કાની વાટાઘાટો ચાલુ થઈ : અમિતભાઈ - તોમર અને ગોયલ જોડાયા

ખેડૂતોના મુદ્દે પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંઘ સામે ગૃહમંત્રી અમિતભાઈ શાહે બેઠક પૂરી કરી છે અને આંદોલન ચલાવી રહેલ ૩૨ જેટલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ - નેતાઓ સાથે ચોથા તબક્કાની વાટાઘાટો શરૂ કરી હોવાનું બપોરે ૩:૩૦ પછી જાહેર થયુ છે : અમિતભાઈ શાહના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે : કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે આઠમો દિવસ છે. વિવિધ ખેડૂત સંગઠનના ૪૦ પ્રતિનિધિ વાટાઘાટો માટે વિજ્ઞાન ભવન પહોîચ્યા છે : ભારતીય કિશાન સંઘના સૂત્રધાર રાકેશ ટીકૈત આ મંત્રણામાં જાડાયા છે. અમરીન્દરસિંઘ સાથે અમિતભાઈએ કૃષિ સુધારા કાયદા અંગે ચર્ચા કરી હોવાનું દૂરદર્શન જણાવે છે. મંત્રણામાં કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ જોડાયા છે.

(4:07 pm IST)