તમિલનાડ-કેરળ પર ત્રાટકશે બુરેવી વાવાઝોડું
સંખ્યાબંધ સ્થળોએ રેડ અલર્ટની કરી જાહેરાત
નવી દિલ્હી, તા.૩: 'નિવાર' બાદ કેરળ અને તમિલનાડુ પર વધુ એક 'બુરેવી' વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ દબાણ શકિતશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું દક્ષિણ તમિલનાડુના તટ પર ૪ ડિસેમ્બર સુધી પહોંચવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 'બુરેવી'વાવાઝોડું સાંજે કે મોડી રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. જે બાદ ૩ ડિસેમ્બરે પશ્યિમ તરફ મુન્નારની ખાડી અને કન્યાકુમારી પહોંચવાની સંભાવના છે. કેરળમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે.
'બુરેવી'વાવાઝોડાના પગલે તમિલનાડુમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેરળ, કન્યાકુમારી, તમિલનાડુ અને અલાપ્પાઝામાં એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
કેરળ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 'બુરેવી' વાવાઝોડું ૨ ડિસેમ્બરની સાંજે કે રાત્રે શ્રીલંકાના કાંઠા વિસ્તારમાંથી પસાર થશે. આ સાથે જ રાજયના અલગ-અલગ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ-ઉત્તર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દક્ષિણ-ઉત્ત્।ર કેરળ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે.