મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

કોંગ્રેસના દિગજ્જ નેતા, સાંસદ શક્તિસિંહ ગોહિલને ફેફસાનું ઈંફેકશન થતા મુલાકાતીઓ સાથે વાત નહી કરવા તબીબોએ સલાહ આપી

ગાંધીનગરઃ કૉંગ્રેસના દિગ્ગજ નેતા, બિહારના પ્રભારી તેમજ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ  કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમને ફેફસાનું ઈંફેકશન થયું છે. ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે.

   શક્તિસિંહભાઈએ જ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. પોતાના સમર્થકો અને સથી કાર્યકરોને અપીલ કરી હતી કે, મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે. સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સાથે જ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરનારા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો હતો.

(2:03 pm IST)