મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

મુંબઇ શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી : છાતીમાં દુ:ખાવો ઉપડતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ

હવે ડોક્ટરે ફરીવાર એંજિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપી : હાર્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. મેથ્યુ તેમની સારવાર કરી રહ્યા છે.

મુંબઈ : શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને હ્દયમાં તકલીફ થતાં તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. કહેવાય છે કે, તેઓ અગાઉથી હ્દયની બિમારીથી પીડિત છે. થોડા સમય પહેલા જ ડોક્ટરે તેમની એંજિયોપ્લાસ્ટી કરી હતી. આ વખતે હ્દયમાં વધારે તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા છે. ત્યારે હવે ડોક્ટરે ફરી એક વાર તેમને એંજિયોપ્લાસ્ટી કરવાની સલાહ આપી છે. હાર્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. મેથ્યુ તેમની સારવાર કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , સંજય રાઉત શિવસેનાના મુખ્ય પ્રવક્તાની સાથે સાથે પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ પણ છે. તેમને ઉદ્ધવ ઠાકરેના ખાસ માનિતા માનવામાં આવે છે. તેઓ રાજ્યની દરેક સમસ્યાને ધારદાર રીતે સંસદમાં રજૂ કરી બતાવે છે. સંજ્ય રાઉત કોઈ પણ મુદ્દે બિંદાસ્ત રીતે બોલવામાં માહેર છે.

(12:00 am IST)