News of Tuesday, 3rd December 2019
આમ્રપાલી સ્કીમમાં ધોનીને પણ આરોપી બનાવવામાં આવેઃ એફઆઇઆરમાં ફરિયાદકર્તાની માંગણી
ઘર ખરીદનારાઓના હજારો કરોડ રૂપિયા ડાયવર્ટ કરવાના આરોપી આમ્રપાલી ગ્રુપ વિરૂદ્ધ ફરિયાદ કરનારાઓની માંગ છે કે એમ.એસ. ધોનીને પણ આરોપી બનાવવો જોઇએ.
એફઆઇઆરના જણાવ્યા મુજબ ગ્રુપના માલિકોએ ધોનીનો ઉપયોગ કરી લોકોને સપના દેખાડી ફોસલાવ્યા હતા.
એક ફરિયાદકર્તાએ કહ્યું છે કે ધોની આરોપીઓની આપરાધિક સાજીસનો ભાગ છે. ધોનીને ર૦૧૬ માં બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવ્યા હતા.
(10:38 pm IST)