મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

બે બાળકોનું ગળું દબાવી દંપત્તિની મોતની છલાંગ

ગાઝિયાબાદમાં દર્દનાક ઘટના બની

ગાઝિયાબાદ, તા.૩ : દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં ઇન્દિરાપુરમમાં એક દર્દનાક ઘટના સપાટી ઉપર આવી છે. ઇન્દિરાપુરના વૈભવખંડની કૃષ્ણાઅપરા સફાયર સોસાયટીમાં એક દંપત્તિ અને અન્ય એક મહિલાએ નિંદમાં રહેલા બે બાળકોની ઘાતકી હત્યા કરી દીધા બાદ સોસાયટીના આઠમાં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. બીજી મહિલા મૃતકની બીજી પત્નિ હોવાનું જાણવા મળ્યું છે. મરનાર બંને બાળકોની વય ૧૪ વર્ષની આસપાસની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આપઘાતના મામલામાં તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે ઇન્દિરાપુરમની કૃષ્ણાઅપરામાં આ ઘટના બની હતી. મૃતકનું નામ ગુલશન તરીકે ખુલ્યું છે જે એક જિન્સ કારોબારી હતી. બે મહિલાઓના નામ પરવીન અને સંજના તરીકે ખુલ્યા છે. પરવીન ગુલશનની પત્નિ અને સંજના કારોબારી અને તેની સાથી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પહોંચી ત્યારે ફ્લેટની દિવાલ પર આપઘાતની નોટ સાથે ૫૦૦ રૂપિયાની નોટ પણ ચોંટાડવામાં આવી હતી અને કેટલાક બાઉન્સ ચેક પણ ચોંટાડવામાં આવ્યા હતા.

(10:07 pm IST)