મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

પતિએ બે પત્નીઓ સાથે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી : ફ્લેટમાંથી બે બાળકો અને પાલતુ સસલાની લાશ મળી

એક પત્નીનો બચાવ થયો જ્યારે પતિ અન્ય એક પત્નીનું મોત

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક પરિવારે પૈસાની તંગીથી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે શહેરના ઇંદિરાપુરમ વિસ્તારના કૃષ્ણા અપ્રા સફાયર સોસાયટી ના ફલેટ નંબર A-806માં રહેતો આખો પરિવાર વેરવિખેર થઇ ગયો છે.

  બિલ્ડિંગના 8માં માળેથી પતિ અને તેની બે પત્નીઓએ છલાંગ લગાવી હતી, જેમાંથી એક પત્નીનો બચાવ થયો છે, જ્યારે પતિ અન્ય એક પત્નીનું મોત થઇ ગયું છે. તેમના ફ્લેટમાંથી બે બાળકોની લાશો મળી આવી છે, 10 વર્ષીય પુત્ર અને 11 વર્ષીય પુત્રીની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવ્યાં પછી પિતાએ બિલ્ડિંગ પરથી પડતુ મુક્યું છે, ઘરમાં પાલતુ સસલાની પણ હત્યા કરી નાખવામાં આવી છે, તેનો પણ મૃતદેહ મળી આવ્યો છે

   સ્યૂસાઇડ નોટમાં પૈસાની તંગીની વાત છે, રૂપિયા 500ની ચલણી નોટ અને બાઉન્સ ચેક ઘરની દિવાલ પર ચોંટાડેલા મળી આવ્યાં છે, લખ્યું છે કે અમારા મોત માટે રાકેશ વર્મા જવાબદાર છે, જે તેમનો સંબંધી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે

 , મામલો આખો રૂપિયા 2 કરોડની લેવડ દેવડનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે, સ્યૂસાઇટ નોટમાં લખ્યું છે કે અમારા પાંચેયના અંતિમ સંસ્કાર એક જ જગ્યાએ કરાવજો જે અમારી અંતિમ ઇચ્છા છે, ઘટના બાદ મોટી સંખ્યામાં મૃતકોના સગા-સંબંધીઓ અહી આવી પહોંચ્યાં છે, પોલીસે સ્યૂસાઇટ નોટને આધારે કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી છે.

(12:40 pm IST)