હવે પ્રિયંકા ગાંધીએ આપી ભાજપને સલાહ : 'બાપૂ વિશે વાત કરતા પહેલા તેમના રસ્તે ચાલવાનું શીખે
ભાજપ પહેલા સત્યના પથ પર ચાલે ત્યારબાદ ગાંધીજીની વાત કરે
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ગાંધી જયંતી' પર કોંગ્રેસ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા દરમિયાન ભાજપને સલાહ આપી કે 'બાપૂ વિશે વાત કરતા પહેલા તેમના રસ્તે ચાલવાનું શીખે'. પ્રિયંકા ગાંધીએ શહીદ સ્મારકથી જીપીઓ સુધી લગભગ અઢી કિલોમીટરની પદયાત્રા કરી અને ગાંધીજીની પ્રતિમા પર માળા અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. હતી
પ્રિયંકા ગાંધીએ પદયાત્રા શરૂ કરતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પર વ્યંગ કરતા કહ્યું કે પાર્ટીએ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રસ્તા પર ચાલવુ જોઇએ. બાદમાં તેમના વિશે વાત કરવી જોઇએ. એમણે કહ્યું કે, સત્યના પથ પર ચાલવું ગાંધીના આદર્શ હતા. ભાજપ પહેલા સત્યના પથ પર ચાલે ત્યારબાદ ગાંધીજીની વાત કરે.
પ્રિયંકા ગાંધી સાથે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. પહેલાથી નક્કી કાર્યક્રમ અનુસાર પ્રિયંકાને પાર્ટી પ્રદેશ કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધિત કરવાના હતા, પરંતુ તેમણે જીપીઓથી જ એરપોર્ટ રવાના થઇ ગયા.