મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

હવે લક્ઝરી ક્રૂઝમાં બેસીને કરી શકાશે વારણસીના વિવિધ ઘાટોના દર્શન

ભારતની સાંસ્કૃતિક રાજધાની ગણાતા વારાણસીમાં આવેલા વિવિધ ઘાટોના દર્શન હવે લક્ઝરી ક્રુઝમાં બેસીને કરી શકાશે. આ ક્રૂઝથી ઘાટના દર્શન કરવા માટે 750 રુપિયા GST સહિત ચુકવવાના રહેશે. 125 સીટર અલકનંદા ક્રૂઝમાં AC, બાયો ટોઈલેટની વ્યવસ્થા છે. સવારે અને સાંજે અસ્સીથી પંચગંગા ઘાટ સુધીની મુસાફરી દરમિયાન ટૂરિસ્ટ્સને વેદ ઋચાઓ અને શાસ્ત્રીય સંગીત સાંભળવાનો મોકો મળશે.

(3:31 pm IST)