મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

ગુરુગ્રામ જમીન સોદામાં દોષિતોને બક્ષવામાં નહિ આવે :મનોહરલાલ ખટ્ટર

નવી દિલ્હી; ગુરુગ્રામ જમીન સોદાના મામલામાં હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સામે કરાયેલી એફઆઈઆર મામલે મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યુ છે કે આ મામલામાં દોષિતોને બક્ષવામાં નહીં આવે અને ગુનેગારોને સજા જરૂરથી મળશે. ખટ્ટરએ કહ્યુ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની તેમની લડાઈ ચાલુ છે.

  ‘અલગ-અલગ મામલાઓમાં જુદીજુદી તપાસ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. આ કેસમાં એક બહાદૂર નાગરિક તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે.

(6:11 pm IST)