મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

કોંગ્રેસને 'મોદી ફોબિયા' થઈ ગયો, દેશહિતમાં દરેક નિર્ણયનો વિરોધ કરવા લાગી છે : અમિતભાઈ શાહે કોંગ્રેસને નિશાને લીધી

ભાજપ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પરિવારોના શાસનને હરાવશે : કેન્દ્રીય ગૃહમંત્રીનો દાવો

હૈદરાબાદ તા.03 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાલ હૈદરાબાદની મુલાકાતે છે. જ્યાં તેઓએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ કોંગ્રેસને 'મોદી ફોબિયા' થઈ ગયો હોવાનું નિવેદન આપ્યું હતું. તેમજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા હતા.

વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા અમિતભાઈ શાહે કહ્યું હતું કે દેશના મુખ્ય વિપક્ષી દળમાં લોકશાહીની સ્થાપના માટે તેના જ સભ્યો લડી રહ્યા છે, પરંતુ 'ગાંધી પરિવાર' ડરના કારણે પ્રમુખ પદની પસંદગી કરી રહ્યું નથી. કોંગ્રેસને 'મોદી ફોબિયા' થઈ ગયો છે. તે દેશહિતમાં દરેક નિર્ણયનો વિરોધ કરવા લાગી છે.

અમિતભાઈ શાહે વાધુમાં કહ્યું હતું કે આજે હતાશા અને નિરાશામાં રહેલી કોંગ્રેસ કેન્દ્ર સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે, પછી તે સર્જિકલ સ્ટ્રાઈક હોય અને એર સ્ટ્રાઈક હોય, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી હોય કે કોરોના વાયરસ વિરોધી રસીકરણ હોય. કોંગ્રેસ સંપૂર્ણપણે હતાશ અને નિરાશ છે. તેમજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, ED દ્વારા તેમની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરીને 'નાટક' કર્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પરિવારોના શાસનને હરાવશે.

(12:11 am IST)