ભારતની લોકશાહી સંપૂર્ણ પરીપક્વ ગણી શકાય નહીં : ન્યાયાધીશો પર વ્યક્તિગત હુમલા માટે ઉપયોગમાં લેવાતા સોશિયલ અને ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે : મીડિયા દ્વારા ન્યાયાધીશો પરના બિનજરૂરી વ્યક્તિગત હુમલાઓ જોખમી છે જેના કારણે ન્યાયાધીશોએ કાયદો ખરેખર શું કહે છે તેના બદલે મીડિયા શું વિચારે છે તેનું ધ્યાન રાખવું પડે છે : જસ્ટિસ એચઆર ખન્ના મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત સેમિનારમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલાનું ઉદબોધન
ન્યુદિલ્હી : આજ 3 જૂનના રોજ જસ્ટિસ એચઆર ખન્ના મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત સેમિનારમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ભારતની લોકશાહી સંપૂર્ણ પરીપક્વ ગણી શકાય નહીં .દેશમાં ન્યાયાધીશો પર વ્યક્તિગત હુમલા માટે ઉપયોગમાં લેવાતા સોશિયલ અને ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે . સોશ્યલ મીડિયાનો ઉપયોગ સંપૂર્ણપણે કાયદાકીય અને બંધારણીય મુદ્દાઓના રાજકારણ માટે થઇ રહ્યો છે
તેમણે ઉમેર્યું હતું કે ન્યાયાધીશોએ કાયદો ખરેખર શું કહે છે તેના બદલે મીડિયા શું વિચારે છે તે વિચારવું પડે છે. આ કોર્ટના સન્માનની પવિત્રતાને અવગણીને કાયદાના શાસનને સળગાવી દે છે. આ તે છે જ્યાં આપણા બંધારણ હેઠળ કાયદાનું શાસન જાળવવા માટે સમગ્ર દેશમાં ડિજિટલ અને સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે.
જસ્ટિસ ડૉ રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટી, લખનૌ અને નેશનલ લો યુનિવર્સિટી, ઓડિશા દ્વારા આયોજિત ' 2જી જસ્ટિસ એચઆર ખન્ના મેમોરિયલ સિમ્પોઝિયમમાં “વોક્સ પોપુલી વિરુદ્ધ કાયદાનું શાસન ': સુપ્રીમ કોર્ટ ઑફ ઈન્ડિયા” વિષય પર બોલી રહ્યા હતા. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.