મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

મોતિહાર ના રક્સૌલથી નરકટિયાગંજ જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી: બર્નીગ ટ્રેનનું દૃશ્‍ય સર્જાયુ

રેલ્વે કર્મચારીઓએ તરત જ ટ્રેનને રોકી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી તે જ સમયે, બાકીની બોગી અલગ કરવામાં આવી હતી : ટ્રેન રક્સૌલના ભેલાહીના બ્રિજ નંબર 39 પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી

નવી દિલ્‍હી  : આજે અહીં મોતિહાર ના રક્સૌલથી નરકટિયાગંજ જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. આ સાથે રેલ્વે કર્મચારીઓએ તરત જ ટ્રેનને રોકી દીધી હતી. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. તે જ સમયે, બાકીની બોગી અલગ કરવામાં આવી હતી. ,

રવિવારે જ્યારે ટ્રેન રક્સૌલના ભેલાહીના બ્રિજ નંબર 39 પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. જ્યારે ત્યાં હાજર રેલવે કર્મચારીઓએ ધુમાડો જોયો તો જાણવા મળ્યું કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી.જો કે, કર્મચારીઓની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી હતી. કર્મચારીઓએ સમયસર ટ્રેનના એન્જિનને કોચથી અલગ કરી દીધું હતું, જેના કારણે બીજા કોચમાં આગ આગળ વધી શકી નહોતી

(3:17 pm IST)