મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં ઝડપથી સુધારો : ટૂંક સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ જાહેર જીવનમાં જોડાઈ જશે

રાજકોટ :::ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેમની તબિયતમાં ઝડપથી સુધારો  થઈ રહ્યો છે.ટૂંક  સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ  જાહેરજીવનમાં જોડાઈ  જશે.

લાખો લોકોની પ્રાર્થના અને દુઆઓથી  સૌના માર્ગદર્શક અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

હાલમાં ભરતસિંહ સોલંકીની તબિયત એકદમ સ્થિર છે,ચિંતા નું કોઈ કારણ નથી. તેઓ ટૂંક જ સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ આપણી સૌની વચ્ચે જાહેરજીવનમાં જોડાઈ જશે.તેમ જણાવ્યું છે.

(3:59 pm IST)