મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd July 2019

દેશદ્રોહનો કાયદો ચાલુ રહેશે મોદી સરકારની સ્પષ્ટ વાત

કાયદો હટાવવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી

 

નવી દિલ્હી : મોદી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેશદ્રોહનો કાયદો ચાલુ રહેશે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું કે દેશદ્રોહનો કાયદો હટાવવાનો કોઇ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારાધીન નથી

  તેમણે રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં કહ્યું કે દેશદ્રોહી, ભાગલાવાદી અને આતંકવાદી તત્વો સામે પ્રભાવી રીતે મુકાબલો કરવા માટે કાયદો જાળવી રાખવો આવશ્યક છે. પહેલા કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા પોતાના મેનિફેસ્ટોમાં દેશદ્રોહનો કાયદો દૂર કરવાનો વાયદો કર્યો હતો.

(12:49 am IST)