મુખ્ય સમાચાર
News of Friday, 3rd May 2019

કોંગ્રેસના ઉમેદવારો કોઈપણને ટક્કર આપવા સક્ષમ : ભાજપ -કોંગ્રેસની વિચારધારા અલગ :પ્રિયંકા ગાંધી

સપા -બસપાએ નક્કી કરવાનું ભાજપને ફાયદો કરાવવો કે નહિ;અખિલેશ પર વળતો પ્રહાર

નવી દિલ્હી :રાયબરેલીમાં પોતાના માતા સોનિયા ગાંધીનો ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આપેલા નિવેદન બાદ વળતો પ્રહાર કર્યો છે

. તેમણે રાયબરેલીમાં જણાવ્યુ કે, તમામ બેઠક પરથી અમારા ઉમેદવાર મજબૂતાઈ સાથે ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કોઈપણને ટકર આપવામાં સક્ષમ છે

   . તેમણે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસ અને ભાજપની વિચારધારા અલગ-અલગ છે. અમે હમેશા ભાજપ વિરૂદ્ધ લડી રહ્યા છીએ. જેથી સપા અને બસપાએ નક્કી કરવાનું છે કે, વિચારધારાની લડાઈમાં ભાજપને ફાયદો કરાવવો કે નહી.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ ભાજપને ફાયદો કરાવવા માટે નબળા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

(9:28 pm IST)