News of Friday, 3rd April 2020
લગભગ ૯૦૦૦ તબલીગ જમાતના સભ્યો અને તેમના સંપર્કમાં આવનારાઓ કવોરેન્ટાઇન
૯૦૦૦ તબલીગી જમાતીઓ અને તેમના સંપર્કોને ઓળખી કાઢયા છે જેમાં ૧૩૬૦ જેટલા વિદેશીઓ છે આ સંખ્યા હજુ વધી શકે છે
નવી દિલ્હી : દિલ્હીના તબલીગ જમાતના મેળાવડામાં હાજર રહેલા અને દેશભરમાં પ્રસરી ગયેલ હોય તેવા ૪૦૦ જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે જે પૈકી ૧૭૩ તામિલનાડુમાંથી,૯ આંદામાન-નિકોબારમાંથી,૪૭ દિલ્હીમાંથી,૩૩ તેલંગણામાંથી,૬૭ આંધ્રપ્રદેશમાંથી,૨૨ જમ્મુ કાશ્મીરથી અને બે પોનડેચેરીમાંથી નોંધાયાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યુ છે.
(11:39 am IST)