મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

શ્રીનગરના ખાનમોહ વિસ્તારમાં લેફટીનેન્ટ કર્નલ સુદીપ ભગતસિંહે પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી

જમ્મુ, તા. ૩ :. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ખાનમોહ વિસ્તારમાં લેફટીનેન્ટ કર્નલ સુદીપ ભગતસિંહએ પોતાની જ બંદુકમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બંદુકનો અવાજ આવતા સાથી કર્મચારીઓ દોડી જતા લોહીથી લથબથ હાલતમાં સુદીપ ભગતસિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. મોતના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)