મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

કોંગ્રેસના વિખવાદ વચ્ચે છલકાઈ રાહુલની પીડાઃ મારા ઉપર પાર્ટીના લોકોએ જ કર્યો હુમલો

પાર્ટીમાં આંતરિક લોકતંત્ર લાવવું નિશ્ચિત રૂપથી જરૂરી છે

નવી દિલ્હી, તા.: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કોર્નેલ યુનિવર્સીટીના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં શામેલ થયા છે. પ્રોગ્રામમાં સંવાદ દરમિયાન કોંગ્રેસમાં વિખવાદ પર રાહુલની પીડા છલકી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીમાં અંદર લોકતંત્રને પ્રોત્સાહન આપવાની વાત ઘણા વર્ષોથી કરી રહ્યા છે. એના માટે મારી પાર્ટીના લોકોએ મારી આલોચના કરી હતી. મેં પોતાની પાર્ટીના લોકોને કહ્યું કે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર લાવવું નિશ્ચિત રૂપથી જરૂરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું એક દસકમાં કોંગ્રેસમાં આંતરિક લોકતંત્રનું પક્ષદ્યર બનાવી રહ્યો છુ. મેં યુવા અને છાત્રા સંગઠનની ચૂંટણી પ્રોત્સાહન આપ્યું છે. હું પહેલો વ્યકિત છુ, જે પાર્ટીમાં લોકતાંત્રિક ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમારા માટે કોંગ્રેસનો મતલબ આઝાદી માટે લડવા વાળી સંસ્થા, જેણે ભારતને બંધારણ આપ્યું છે. અમારા માટે લોકતંત્ર અને લોકતાંત્રિક પ્રક્રિયા બરાબર રાખવું મહત્વપૂર્ણ છે.

પ્રોફેસર કૌશિક બાસુ સાથે સંવાદમાં રાહુલ ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા ઇમર્જન્સી લગાવ્યા પર પોતાની વાત રાખી છે. ૧૯૯૫માં ઇન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલી ઇમર્જન્સીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ભૂલ હતી, પરંતુ ત્યારે જે થયું અને આજે જે થઇ રહ્યું છે એમાં ફરક છે. પોતાની ભૂલ માનવી સાહસનું કાર્ય છે.

(10:13 am IST)