BJPમાં મારી સાથે ઓરમાયા પુત્ર જેવો વ્યવહારઃ શત્રુધ્ન સિંહા
પ્રામાણિકતાથી કહું તો, મને હવે ગુંગળામણ થવા લાગી છે
નવી દિલ્હી તા. ૩ : પીઢ અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ હવે ભાજપ સાથે છેડો ફાડવાનો સંકેત આપી દીધો છે. શોટગને કહ્યું છે કે હવે તેમને ભાજપમાં ઓરમાન પુત્ર બની ગયો હોઉં તેવું લાગવા લાગ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્નએ કહ્યું કે 'મને એવું લાગે છે કે મારો માતૃ પક્ષ હવે મારી સાથે ઓરમાન પુત્ર સાથે જેવું વર્તન થાય તેવું વર્તન કરી રહ્યો છે. પ્રામાણિકતાથી કહું છું કે મને ગુંગળામણ થઈ રહી છે.'
તાજેતરમાં ભાજપના બળવાખોર નેતા યશવંત સિંહાએ રચેલા રાષ્ટ્ર મંચમાં જોડાયેલા શત્રુઘ્નએ કહ્યું કે તેમને પક્ષમાં કોઈ ભૂમિકા આપવામાં આવતી નથી. બોલવા સિવાય તેમણે(પક્ષના હાઈકમાન્ડે) કોઈ કામ કરવા દીધું નથી.
રાષ્ટ્રમંચ અંગે શત્રુએ કહ્યું કે આ કોઈ પક્ષમાંથી તૂટેલું જૂથ નથી કે કોઈ બળવાખોર જૂથ નથી. મર્યાદા ઓળંગનારું આ જૂથ નથી. તેમણે કહ્યું કે આ નવો મંચ ખેડૂતના આપઘાત, બેરોજગારી, આંતરીક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા જેવા મુદ્દાનો ઉકેલ લાવવા માટે મંચ પૂરો પાડશે.(૨૧.૫)