ગુજરાતમાં ઓમીક્રોન વોરીયંટનો પ્રથમ શંકાસ્પદ કેસ! : જામનગરમાં આફ્રિકાથી આવેલ પ્રવાસીને કોરોના : ઓમિક્રોનની તપાસ માટે સેમ્પલ પૂણે લેબ મોકલાયા
ગઈકાલે મોરકડા ગામનો આફ્રિકાથી આવેલ આઇસોલેટ કરાયેલ એક વ્યક્તિને થયો હતો કોરોના : એક મહિનામાં જામનગરમાં નોંધાયા 34 કોરોના દર્દીઓ
જામનગરમાં આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસીને કોરોના પોઝિટિવ નીકળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ઓમિક્રોનની તપાસ અર્થે સેમ્પલ પૂણે લેબ મોકલાયા છે ગઈકાલે આફ્રિકાથી આવેલ દર્દીને કોરોના થયો છે જીજી હોસ્પિટલમાંથી નમૂના પુણે લેબમાં મોકલાયા છે એક મહિનામાં જામનગરમાં 34 કોરોના દર્દીઓ નોંધાયા છે
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિ આફ્રિકાથી ભારત આવ્યો હતો. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે તમામ વિદેશી લોકોનું ટેસ્ટ કરવામાં આવે. ત્યારે આ વ્યક્તિમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થવાના અણસાર આવતા તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષમાં ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હવે આફ્રિકાથી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેને આઈસોલેટ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે, આજે સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આજે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 29 દેશોમાં 373 ઓમિક્રોનના કેસ દુનિયામાં રિપોર્ટ થયા છે. આ ઓમિક્રોન વેરિએન્ટ બીટા અને ડેલ્ટા વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાય છે. ડબ્લ્યૂએચઓના અનુસાર આ વેરિએન્ટમાં 45 થી 52 મ્યૂટેશન જોવા મળ્યા છે. ડબ્લ્યૂએચઓના અનુસાર રિપોર્ટમાં અત્યાર સુધી જે આવ્યા છે તેમાં તેને માઇલ્ડ મળી આવ્યો છે.