મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

અઠવાડિયામાં રાજ્યસભાના બે સભ્યોના નિધનની પ્રથમ ઘટના : બન્ને બેઠકોની પેટાચૂંટણી થશે

૨૦૧૬માં રાજ્યસભાના તત્કાલીન કોંગી સભ્ય પ્રવિણ રાષ્ટ્રપાલનું અવસાન થયેલ

રાજકોટ તા. ૨ : ગુજરાત રાજ્યસભાના કોંગ્રેસી સભ્ય શ્રી અહેમદ પટેલનું ગઇ તા. ૨૫મીએ અવસાન થયેલ. બીજા સભ્ય ભાજપના શ્રી અભયભાઇ ભારદ્વાજનું ગઇકાલે અવસાન થયું છે. અઠવાડિયામાં રાજ્યસભાના બે સભ્યોનું અવસાન થયું હોય તેવી ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની છે. બન્ને બેઠકોની ૬ મહિનામાં પેટાચૂંટણી થશે. અગાઉ મે-૨૦૧૬માં તે વખતના કોંગી સભ્ય શ્રી પ્રવિણ રાષ્ટ્રપાલનું અવસાન થયું હતું. શ્રી અહેમદ પટેલ જુલાઇ ૨૦૧૭માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. શ્રી ભારદ્વાજ જુન-૨૦૨૦માં ચૂંટાયેલા. રાજ્યસભાના સભ્યની મુદ્દત ૬ વર્ષની હોય છે. બન્ને બેઠકોની બાકીના કાર્યકાળ માટે ચૂંટણી થશે. પેટાચૂંટણી બેઠક ખાલી થયાના ૬ મહિનામાં આવવાપાત્ર હોય છે. ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકોની ભાજપમાંથી ૭ અને કોંગ્રેસમાંથી ૪ સભ્યો ચૂંટાયેલા. બન્ને પક્ષના એક-એક સભ્યએ ચિરવિદાય લેતા હવે બન્ને પક્ષનું સંખ્યાબળ અનુક્રમે ૧૦ અને ૩ સભ્યોનું થઇ ગયું છે. વિધાનસભામાં હાલ કોંગ્રેસના ૬૫ અને ભાજપના ૧૧૧ સભ્યો ચૂંટાયેલા છે.

(11:13 am IST)