News of Wednesday, 2nd December 2020
આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવી દીધો : અભયભાઈ નિધન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયુ છે. અભયભાઈ ભારદ્વાજ કોરોના સંક્રમિત હતા અને ફેફ્સામાં તકલીફ થતા રાજકોટથી ચેન્નાઇ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભયભાઈ ભારદ્વાજના નિધન અંગે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ લખ્યુ, “ગુજરાત રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા. તે દુખદ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવી દીધો છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર, તેમના પરિવાર અને મિત્રોને સંવેદના
(12:00 am IST)