News of Wednesday, 2nd December 2020
પરમ મિત્ર-સાથી ગુમાવ્યા : અભયભાઈ ભારદ્વાજના નિધનથી ભાજપ અને ગુજરાતને મોટી ખોટ પડી : મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
સમાજ માટે કમિટમેન્ટ ધરાવતા અભયભાઈ સૌને સાથે રાખીને ચલાવનારા નેતા હતા
અમદાવાદ : રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયુ છે અભયભાઈ ભારદ્વાજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંગત મિત્ર હતા તેમના નિધન પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે મેં મારા પરમ મિત્ર, સાથી અને કાર્યકર ગુમાવ્યા છે અભય ભાઈ ભારદ્વાજના નિધનથી ભાજપ અને ગુજરાતને મોટી ખોટ પડી છે
વિજયભાઈ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજ સમાજ માટે કમિટમેન્ટ ધરાવતા અને સૌને સાથે રાખીને ચાલનારા વ્યક્તિ હતા.
(12:00 am IST)