મોડી રાત્રે ૧૧.૧પ વાગ્યે વિજયભાઇ રૂપાણીનું ઘર ઘેરી લેતા કોંગ્રીજનો ઃ પોલીસ દ્વારા લાઠીચાર્જ: કોંગ્રી ઉમેદવાર મિતુ દોગા ઉપર : લાઠી વિઝાંય : કોંગ્રેસ દ્વારા રાજકોટની શાંતિ ડોળવાનો પ્રયાસ : કમલેશ મિરાણી –રાજુ ધ્રુવ
રાજકોટ : આજે મોડી રાત્રે ૧૧.૧પ વાગ્યે વિજયભાઇ રૂપાણીના ઘરને પ૦૦ જેટલા કોંગીજનોઅે ઘેરી લેતા લાઠીચાર્જ થયાની અને રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ, મીતુલ દોગા આગેવાનો અટક કરી પોલીસ વાનમાં લઇ જવામાં આવ્યા છે.
આજે રાજકોટ ૬૮નાં ઉમેદવાર મિતુલ દોગા ઉપર લાઠી ઝીંકાયાની અને તેના વિઝયુઅલ ટીવી પર દર્શાવાઇ રહ્યા છે.
ભારે ઉશ્કેરાઇ દરમિયાન બ્રહ્મસમાજ કનૈયા ચોક પાસે બ્રહ્મસમાજમાં લગાડેલ બીજેપીનાં પોસ્ટર ફાળી નાખવામાં આવ્યા છે. ભાજપના કમલેશ મિરાણી જણાવેલ છે કે ભાજપનાં બેનર તોડવા કોંગ્રીજનો આવેલા આવું નીચુ રાજકારણ રાજકોટમાં ચલાવી લેવાઇ નહીં. મીરાણીઅે વધુમાં જણાવેલ કે ભાજપની આ પહેલ નથી કોંગીજનોઅે વાતાવરણ ડોળવની પહેલ કરી છે સડકછાપા રાજકારણ કયાંરેય ન હોય શકે. કાયદો કાયદાનું કામ કરશે વિશિષ્ટ વિગતો મેળવાઇ રહી છે.