News of Monday, 2nd November 2020
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કોરોનાના બનાવટી "નેગેટિવ સર્ટિફિકેટ" અપાયાનું ખૂલતા ખળભળાટ મચી ગયો : મોટું કૌભાંડ હોવાની શંકા : ન્યૂઝફર્સ્ટ
બનાવટી કોરોના નેગેટિવ પ્રમાણપત્રનું કૌભાંડ બહાર આવવાની સંભાવના સર્જાઈ છે. ૩૦ ઓક્ટોબરના રોજ, એર ઇન્ડિયાની વંદે ભારતની ફ્લાઇટના મુસાફરોનું ચીનના વુહાન એરપોર્ટ પર કોરોના ટેસ્ટ થતા ૧૯ પેસેન્જરને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. આ બધા મુસાફરોના ભારતમાં તેમના કોવિડ નેગેટિવ હોવાના, સર્ટિફિકેટની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યાનું એર ઇન્ડિયાએ જાહેર કર્યું છે. તો પછી એનો અર્થ એ થયો કે મુસાફરોને ખોટી રીતે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ ઝડપાયા હતા, તપાસ ચાલુ છે.
(10:42 pm IST)