મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

બાબરી મસ્જિદ વિધ્વંશ કેસમાં ચુકાદો આપનાર ન્યાયાધીશની સુરક્ષા વધારવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

નવી દિલ્હી,તા. ૨: સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ તોડવાના ફોજદારી કેસનો ચુકાદો આપનાર ન્યાયાધીશ એસ.કે. યાદવની સુરક્ષા વધારવાનો ઇન્કાર કરી દીધો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે જજ એસ.કે. યાદવને સુરક્ષા આપી હતી. સાથે ચુકાદો જાહેર કરવા સુધી તેમની નિવૃતિ પણ વધારી દેવામાં આવી હતી. તાજેતરમાં બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં ચુકાદો આવ્યો હતો. જેમાં લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ આરોપીઓને નિદોર્ષ જાહેર કરવામાં આવ્યા હતા.

(3:42 pm IST)