મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

અયોધ્યામાં ૪૯૨ વર્ષ પછી રામ મંદિર પરિસરમાં ઉજવવામાં આવશે દિવ્ય દિવાળીઃ રામલલાનો દરબાર અસંખ્ય દિવાઓથી ઝળહળશે

અયોધ્યા,તા. ૨: ઉત્ત્।ર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે અને મંદિર લગભગ સવા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે. આ દરમિયાન અયોધ્યામાં દિવાળી ખાસ રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દરબારમાં દીવડા પણ જગમગશે અને આખા અયોધ્યામાં લગભગ ૫.૫૧ દીવા પ્રગટાવવામાં આવશે.

આ વખતે ૪૯૨ વર્ષ બાદ પહેલીવાર દિવ્ય દિવાળીનું આયોજન રામ જન્મભૂમિ પરિસરમાં થશે. આ સાથે જ અસ્થાઇ મંદિરમાં રામલલાનો દરબાર અગણિત દીવાની રોશનીથી જગમગાવાશે. આ પહેલાં ઘણી બધી સીમિત દાયરામાં પરિસરમાં દિવાળી ઉજવવામાં આવે છે અને ફકત પૂજારી જ દીવો પ્રગટાવી શકતા હતા.

દિવાળી ના અવસર પર રામલલાના અસ્થાયી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થશે. આ વખતે પન રામની પેડીમાં નવો રેકોર્ડ બનાવવાની તૈયારી છે અને તેના માટે આખા અયોધ્યામાં ૫ લાખ ૫૧ હજાર દીવા પ્રગટાવવામાં આવશે. આ અવસર પર ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૧૩ નવેમ્બરના રોજ અયોધ્યામાં હાજર રહેશે.

રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેંદ્ર દાસએ કહ્યું 'આ વખતે દીવાળી રામલલા પરિસરમાં ઉજવવામાં આવશે, આ અદ્રિતિય અને અદભૂત છે. ઘણી એવી ઘટનાઓ થઇ, જેથી પ્રભુ શ્રીરામ રામલલાને ૨૮ વર્ષો સુધી તિરપાલમાં રહેવું પડ્યું. આ વખતે યુગમાં અયોધ્યામાં જેવી દીવાળી ઉજવવામાં આવી, તેની ઝલક જોવા મળશે.

(3:37 pm IST)