મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

રેલવેની દિવાળી સુધરી : નૂર લોડિંગ 15 ટકા વધ્યું : ભાડાની આવક 10,405 કરોડે પહોંચી

નૂરની હેરફેરને આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવેને કન્સેશન્સ અને ડિસ્કાઉન્ટ્સ પણ આપે છે

નવી દિલ્હી:કોરોના કાળ પછી રેલેવેની નૂરની આ‌વકમાં ઓક્ટોબર મહિનામાં વધારો થયો છે. નૂરના લોડિંગમાં આશરે ૧૫ ટકાનો વધારો થતાં તેનાથી આવક પણ નવ ટકા જેટલી સુધરી છે તેમ રેલવેએ જણાવ્યું છે. આ વર્ષે ઓક્ટોબરમાં ભારતીય રેલવેની લોડિંગ ૧૦.૮૨ કરોડ ટન હતી, જે ગત વર્ષના આ જ ગાળાના ૯.૪ કરોડ ટન લોડિંગની સરખામણીએ ૧૫ ટકા વધુ છે. આ ગાળામાં ભારતીય રેલવેએ નૂર લોડિંગમાંથી રૂ ૧૦,૪૦૫.૧૨ કરોડની આવક કરી હતી. જે અગાઉના આ જ ગાળાના રૂ ૯,૫૩૬.૨૨ કરોડની સરખામણીએ રૂ ૮૬૮.૯ કરોડ વધુ છે.

ઓક્ટોબર ૨૦૨૦માં ભારતીય રેલવેની લોડિંગ રૂ ૧.૦૮ કરોડ ટન હતી. જેમાં રૂ ૪.૭ કરોડ ટન કોલસા, રૂ ૧.૫ કરોડ ટન કાચું લોખંડ, ૫૦ લાખ ટન અનાજ,રૂ ૬૦ લાખ ટન ખાતર અનેરૂ ૬૬ લાખ ટન સીમેન્ટનો સમાવેશ થાય છે તેમ રેલવેએ જણાવ્યું છે. રેલવે નૂરની હેરફેરને આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવેને કન્સેશન્સ અને ડિસ્કાઉન્ટ્સ પણ આપવામાં આ‌વી રહ્યા છે તેમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

(10:59 am IST)