News of Tuesday, 2nd October 2018
અસદુદ્દીન ઓવૈસી છે મૂછ વિનાનો રાવણઃ શિયા વકફ બોર્ડના ચેરમેન
નવી દિલ્હી તા.૨: અયોધ્યામાં રામ મંદિરની તરફેણ કરી રહેલા શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર આકરા શાબ્દિક પ્રહારો કરીને જણાવ્યું હતું કે ઓવૈસી મૂછ વિનાના રાવણ છે જે મંદિરનું નિર્માણ કરવા દેતા નથી.
ભગવાન રામને સપનામાં જોયા હોવાનો દાવો કર્યા બાદ કાલે તેઓ અયોધ્યા પહોંચીને રામ મંદિરના હિન્દુ પક્ષકારોને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ' રામમંદિર બાંધવાનું મારું મિશન છે. ભગવાન રામ મારા સપનામાં આવ્યા એ મારા માટે મોટી વાત છે. તેઓ ધનુષધારી રૂપમાં નજરે પડયા છે. અહીંના મુસ્લિમ પક્ષકારો સાથે વાતચીત કરીને કોઇ મતલબ નથી.'
(10:33 am IST)