મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્‍મદિને તેમના પરિવારની એક ઝલક

સંઘ દ્વારા જ સંપર્ક થયો પત્‍ની અંજલીબેનનો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આજના જન્‍મદિને તેમના પરિવારની એક ઝલક જોઈએ તો...મળતી માહિતી અનુસાર વિજયભાઈ સંઘ ના કાર્યકર હતા ત્‍યારે પ્રચાર અર્થે બહારગામ જવાનું વધુ બનતું હતું અને આ દરમ્‍યાન તેઓ મોટાભાગે સંઘના કાર્યકર ને ત્‍યાં જ જમતા અંજલીબેનના પિતા પણ સંઘના જુના કાર્યકર

 એક વેળાએ વિજયભાઈને સંઘના કાર્ય અર્થે અમદાવાદ જવાનું થયું અને અંજલીબેનના ઘરે જ જમવાનું આયોજન થયું અહીં તેમણે અંજલીબેનને પ્રથમ વખત જોયા બસ ત્‍યારથી જ વિજયભાઈને અંજલીબેન જોડે પ્રેમ થઇ ગયા હોવાનું કેહવાઈ છે ચર્ચાઓ અને મુલાકાત બાદ બંને પરિવારજનોની સંમતિથી વિજય ભાઈ અંજલીબેન જોડે લગ્નગ્રંથીથી જોડાયા બસ ત્‍યારથી આજ દિવસ સુધી અંજલીબેન વિજયભાઈની સાથે ખભે ખભો મિલાવી સાથ આપ્‍યો છે.

   વિજયભાઈના જીવનમાં એક દુઃખદ ઘટના બનતા તેઓ રાજકીય આલમ છોડવા તૈયાર થયા હતા પરંતુ અંજલીબેનની સમજાવટથી જ વિજયભાઈએ પોતાની જાત ને દેશ સેવા માટે સમર્પિત કરી દીધી હોવાનું કહેવાય છે અંજલીબેન ઘર અને પરિવારજનોની જવાબદારી વચ્‍ચે ભાજપની મહિલા પાંખની જવાબદારી પણ નિભાવે છે.

 વિજયભાઈને રાધિકા નામે પુત્રી અને ઋષભ નામે પુત્ર છે રાધિકા નિમિત જોડે લગ્ન કરી લંડનમાં સીએ તરીક પ્રેક્‍ટિસ કરે છે જયારે પુત્ર ઋષભ મિકેનિકલ એન્‍જિનિયર થયેલ છે વિજયભાઈ ની જેમ તેમનો પરિવાર પણ લો-પ્રોફાઈલમાં માનનારો જણાય છે આજના જન્‍મદિન વેળાએ ગુજરાતની લાખો  જનતા તરફ થી હાર્દિક શુભેચ્‍છાઓ..

(11:19 am IST)