કેરળમાં કોરોનાનો કહેર યથાવત : દેશમાં નવા 40.445 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 35.909 દર્દીઓ રિકવર થયા : વધુ 421 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.24.805 થયો :એક્ટીવ કેસ 4.08.882 થયા : કુલ કેસની સંખ્યા 3.16.95.186 થઇ
સૌથી વધુ કેરળમાં 20.728 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6479 કેસ, આંધ્રપ્રદેશમાં 2287 કેસ, તામિલનાડુ 1990 કેસ, કર્ણાટકમાં 1975 કેસ, ઓરિસ્સામાં 1437 કેસ, મણીપુરમાં 832 કેસ,આસામમાં 784 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 40.445 કેસ નોંધાયા છે. જ્યારે 35.909 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 40.445 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 421 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.24.805 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 40.445 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.16.95.186 થઇ છે એક્ટિવ સંખ્યા 4.08.882 થઇ છે છેલ્લા 24 કલાકમાં 35.909 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.08.48.963 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 20.728 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6479 કેસ, આંધ્રપ્રદેશમાં 2287 કેસ, તામિલનાડુ 1990 કેસ, કર્ણાટકમાં 1975 કેસ, ઓરિસ્સામાં 1437 કેસ, મણીપુરમાં 832 કેસ,આસામમાં 784 કેસ નોંધાયા છે