મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

સુશાંતસિંહના મોત મામલે ઝડપી તપાસ કરવા IPS અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલાયા

બિહાર પોલીસ મુખ્યાલયે મોટો નિર્ણય લીધો: જરૂર પડ્યે અન્ય વરિષ્ઠ અધિકરીઓને પણ મોકલાશે

પટના : બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સંદિગ્ધ મોતથી સંબંધિત પટનામાં દાખલ FIR પર તપાસ કરવા મુંબઈ ગયેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસ પાસેથી સહયોગ ના મળવાના આરોપની વચ્ચે બિહાર પોલીસ મુખ્યાલયે એક મોટો નિર્ણય લીધો છે. ઝડપી તપાસ કરવા માટે પટનાથી ભારતીય પોલીસ સેવાના સીનિયર અધિકારી વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા છે.

બિહાર પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું કે પટના નગર પોલીસ અધિક્ષક વિનય તિવારીને મુંબઈ મોકલવામાં આવ્યા છે. તેમને કહ્યું કે હાલમાં એક અધિકારીને મોકલવામાં આવ્યા છે અને આગળ જરૂર પડશે તો અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મોકલવામાં આવશે.

(10:13 pm IST)