મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

સુશાંતની બહેન શ્વેતાસિંહે ફરી વડાપ્રધાન સમક્ષ સહકાર માંગ્યો : લોકમાન્ય તિલકની ન્યાય ભાવનાનો પણ ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પીએમ મોદીને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફરીથી ગુહાર લગાવી છે. વખતે કિર્તીએ લખ્યું કે મારા પ્રિય સર, સમય આપણા માટે લોકમાન્ય તિલકની 'ન્યાયની ભાવના' નો અભ્યાસ કરવાનો છે જે તમને પ્રેરિત કરે છે. કૃપા કરીને મારું નિવેદન છે કે કેસ પર જેમ બને તેમ જલદી ધ્યાન આપો.

શ્વેતાએ એક ઓગસ્ટના રોજ પણ પીએમ મોદીને ટ્વિટ કરીને ન્યાયની ગુહાર લગાવી હતી. શ્વેતાએ લખ્યું હતું કે હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને સમગ્ર કેસની તત્કાળ તપાસની અપીલ કરું છું. અમે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ અને કોઈ પણ કિંમત પર ન્યાયની આશા રાખીએ છીએ.

અત્રે જણાવવાનું કે સુશાંતે 14મી જૂનના રોજ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. સુશાંતના પિતાએ એક મહિના પછી બિહારમાં એફઆઈઆર નોંધાવી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યાં છે.

(12:07 pm IST)