પંજાબમાં ઝેરી દારુ પીવાથી ૨૬ લોકોનાં મોત નિપજ્યા
મુખ્યમંત્રીએ મજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા : કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે સીટનું ગઠન કર્યું
ચંદીગઢ, તા. ૩૧ : દેશના વિવિધ રાજ્યોમાં વારંવાર ઝેરીલી શરાબ પીવાની ઘટનામાં નિર્દોષ લોકોના મોત થયા છે. નશાની સમસ્યાને કારણે લાંબા સમયથી ઝઝૂમી રહેલા પંજાબમાં ઝેરી દારૂ પીવાને કારણે ૨૬ લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, તરણતારણ અને બટાલામાં ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થયા છે. કેપ્ટન અમરિંદર સિંહે તાત્કાલિક કાર્યવાહી કરતા મજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બટાલા જિલ્લામાં પાંચ લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે જે એસઆઈટીનું ગઠન કર્યું છે તે આ ઘટનાની તપાસ કરશે. આ સાથે જ તેની પાછળના મુખ્ય કારણોની પણ તપાસ કરશે.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તપાસ વહેલી તકે પૂરી થાય તે માટે ટીમને સંપૂર્ણ છૂટ આપી છે.આ સાથે મુખ્યમંત્રીએ સ્પષ્ટતારીતે જણાવ્યું છે કે, આમામલે જે કોઈપણ વ્યક્તિને દોષિ જાહેર કરવામાં આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.