News of Thursday, 2nd July 2020
૨૪ કલાકમાં ૪૩૪ના મોતઃ ૧૯૧૪૮ નવા કેસ નોંધાયા
ભારતમાં અત્યાર સુધીમાં ૧૭૮૩૪ લોકોને ભરખી ગયોઃ કુલ કેસ ૬૦૪૬૪૧ થયાઃ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૬ લાખની ઉપર થઈ ગઈ
નવી દિલ્હી, તા. ૨ :. ભારતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૧૪૮ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૪૩૪ લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૬૦૪૬૪૧ કેસ થઈ ગયા છે. આમાથી ૩૫૯૮૬૦ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૭૮૩૪ લોકોના મોત થયા છે.
આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૯૦૫૬૧૭૩ છે. જેમાંથી ૨૨૯૫૮૮ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું
(11:12 am IST)