મુંબઇ ઇન્કમટેક્સ ઓફિસમાં લાગેલી આગમાં ભાગેડુ લલિત મોદી અને નીરવ મોદીના જરૂરી દસ્તાવેજો બળી ગયા
મુંબઇઃ અહીંની ઇન્કમટેક્સ ઓફિસમાં ગઇ મોડી સાંજે આગ લાગી હતી. આ આગમાં ભાગેડુ જાહેર થયેલ લલિત મોદી અને નીરવ મોદીના જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઇ જતા અકે તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.
આ આગ બિલ્ડીગના ત્રીજા માળ પર લાગી હતી જેમાં ભાગેડુ લલિત મોદી અને નીરવ મોદી સંબધી જરૂરી દસ્તાવેજોની ફાઈલ રાખી હતી.
જો કે આગના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કર્યું હતું આગમાં કોઈ જાનહાની નથી થઈ. સિંધિયા હાઉસમાં ઇન્કમટેક્સની ઇન્વેસ્ટીવગેટીગ વિંગ બેસે છે. જેમાં લલિત મોદી, નિરવ મોદી અને સ્ટરલિંગ ગ્રુપને લગતા અગત્યના દસ્તાવેજો મુકવામાં આવ્યા હતા.
અમે માનવામાં આવી રહ્યું છે આ આગના લીધે બેંકો અને સરકારને નુકશાનમાં ઉતારનારા લોકોને ફાયદો પહોંચશે. આ અંગે ફાયર બ્રીગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને છ માળના સિંધિયા હાઉસમાં ત્રીજા માળે આગ લાગી હતી. જેના પગલે અમે પાંચ ફાયર ફાઈટર મોકલી આપ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. તેમજ આ આગ લાગવાનું કારણ પણ હજુ જાણી શકાયું નથી.