હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સમીર ટાઇગરની અંતિમયાત્રામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હવામાં ફાયરીંગઃ સરકાર અને દેશ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સમીર ટાઇગરની અંતિમ યાત્રામાં આતંકવાદીઓ દ્વારા હવામાં ફાયરીંગ કરીને સરકાર અને દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતાં.
હિઝબુલના કમાન્ડર સમીરની આજે નીકળેલી અંતિમ યાત્રામાં એ જ ગામમાં નીકળી જ્યાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેની અંતિમ યાત્રામાં કેટલાક આતંકીઓ પહોંચી ગયા હતા અને તેઓએ એકે-૪૭થી ફાયરિંગ કર્યું હતું.
જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં ઠાર મરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સમીર ટાઈગરની અંતિમ યાત્રામાં હવામાં ફાયશરગ થયું છે.
સમીરની અંતિમ યાત્રામાં કેટલાક આતંકીઓ સામેલ થયા અને કેટલાક રાઉન્ડ ફાયશરગ પણ કરી એટલું જ નહીં સરકાર વિરોધી અને દેશ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા.
ત્યારે સવાલ એ થાય છે કે એક આતંકવાદીની અંતિમ યાત્રામાં આતંકીઓ કયાંથી આવ્યા? અંતિમ યાત્રામાં રાઈફલ કયાંથી આવી અને એક આતંકીને શા માટે સલામી આપવામાં આવી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્વું છે કે છેલ્લા ઘણા સમયથી ખીણ પ્રદેશમાં હિઝબુલ કમાન્ડર સમીર ટાઈગરે આતંક મચાવ્યો હતો. જોકે ગઈકાલે તેને સેનાના જવાનોએ ઘેરીને ઠાર માર્યો છે.