મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

નવી દિલ્‍હીમાં હનીમુન કરીને પરત ફરતા પતિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા નવવધુ નારાજ થઇને પિયર જતી રહી

નવી દિલ્હી: પતિ અને પત્નીનો સંબંધ ખુબ સુંદર હોય છે. અનેકવાર બંનેમાં ખાટીમીટી નોકઝોંક થતી હોય છે. જેનાથી તેમનો સંબંધ વધુ મજબૂત થાય છે. પરંતુ અનેકવાર એવી પણ સ્થિતિ પેદા થાય છે કે જેના કારણે પતિ અને પત્ની વચ્ચે ખટરાગ સર્જાઈ જાય છે. અનેકવાર તો વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે. હાલમાં જ એક અનોખો મામલો સામે આવ્યો છે. જાણીને તમને નવાઈ લાગશે કે લગ્ન બાદ કપલ હનીમૂન પર ગયું અને જ્યારે પાછા ફર્યા તો ડિવોર્સ પર વાત આવી ગઈ. કારણ પણ એવું સામે આવ્યું કે કોઈને વિશ્વાસ જ ન આવે. દુલ્હન પતિ સાથે રહેવા જ તૈયાર નહતી.

પતિ સાથે રહેવા તૈયાર નથી  પત્ની

રિપોર્ટ્સ મુજબ આ અનોખો મામલો બેંગલુરુથી સામે આવ્યો છે. લગ્ન બાદ એક કપલ હનીમૂન માટે ગયું અને હનીમૂનથી પાછું ફર્યું તો પતિ કોરોના પોઝિટિવ નીકળ્યો. ત્યારબાદ પત્ની તેની સાથે રહેવા તૈયાર જ ન થઈ. પતિથી એટલી બધી નારાજ થઈ ગઈ કે તે પિયર જતી રહી.

ફ્લાઈટ પકડીને સીધી પિયર પહોંચી ગઈ

હનીમૂન પરથી પાછા ફર્યા બાદ પતિ કોરોના પોઝિટિવ આવતા બંનેને આઈસોલેશનમાં મોકલી દેવાયા. અહીંથી મહિલા ભાગી ગઈ અને ફ્લાઈટ પકડીને સીધી પહેલા દિલ્હી પહોંચી. દિલ્હીથી ટ્રેન પકડીને પોતાના પિયર જતી રહી. જ્યારે ખબર પડી તો બેંગલુરુથી લઈને આગ્રા સુધીના પ્રશાસનના શ્વાસ અદ્ધર થઈ ગયા. મહિલાનું કહેવું છે કે હવે તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. આ માટે પ્રશાસને પોલીસની મદદ લેવી પડી.

(5:09 pm IST)